ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 2019માં પિતા સાથે પોસ્ટ ઓફિસ ગઇ હતી. ત્યારે દેવરાજનો ભેટો થયો હતો. વાતચીતમાં તે ઉદયપુરમાં એસીબી ક્રાઇમબ્રાંચમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. જેથી તેને પોતાની તમામ વિગતો જણાવી હતી ત્યારે દેવરાજે તેની અન્ડરમાં રાઇટર તરીકેનું જોબવર્કની નોકરી છેની વાત કરી મોબાઇલ નંબરની આપલે કરી હતી. જોબવર્કની હા પાડી હતી.

પરંતુ તે કામમાં સારું વળતર નહિ મળતા નોકરીની ના પાડી હતી. ત્યારે દેવરાજે ઉદયપુરમાં પોતાના રાઇટર તરીકે નોકરીની વાત કરી હતી. અન્ય યુવતીઓ પણ નોકરી કરતી હોવાનું કહ્યું હતુ. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી દેવરાજને હા પાડી હતી. ત્યાર બાદ દેવરાજે પોતાને આર વર્લ્ડ સિનેમા પાસે આવેલા કપલ બોકસમાં મળવા બોલાવી નોકરીની લાલચ આપી પહેલી વખત દુષ્કર્મ આચર્યુ હતુ. 2020ના જાન્યુઆરી મહિનામાં દેવરાજ ઉદયપુર લઇ જઇ ત્યાંની કોર્ટમાં પોતાના અભ્યાસ સહિતના દસ્તાવેજો મેળવી ફોર્મ ભરાવડાવી સહીઓ કરાવી હતી.

દેવરાજે ઉદયપુરમાં પણ પોતાની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. અહિં દેવરાજે કોઇને વાત નહિ કરવાનું કહી ધમકી આપી હતી. દેવરાજની દાનતથી પોતે રાજકોટ આવી ગઇ હતી. રાજકોટમાં પણ તેને નોકરીની લાલચ બતાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. દેવરાજ નોકરીની ખોટી વાતો કરતો હોવાની ખબર પડી જતા તેને મળવાની ના પાડી દીધી હતી. જેથી તેને પોતાને અને પિતાને જેલમાં પુરાવી દેવાની ધમકી દીધી હતી. બ્લેકમેઇલ કરી અવારનવાર દેવરાજ દુષ્કર્મ આચરતો હોય અંતે કંટાળીને પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી દેવરાજ હાલ જેલહવાલે હોય પીઆઇ એમ.આર. ગોંડલિયા સહિતના સ્ટાફે આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow