અદાણી ગ્રુપ ભારતમાં ₹10-12 લાખ કરોડ રોકાણ કરશે
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે આગામી 6 વર્ષમાં તેઓ ભારતમાં ₹10 થી 12 લાખ કરોડ સુધીનું રોકાણ કરશે. આ પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યુએબલ એનર્જી, પોર્ટ્સ અને અન્ય સેક્ટરમાં ખર્ચ કરવામાં આવશે.
અદાણીએ PTIને જણાવ્યું કે દેશમાં રોકાણની ખૂબ મોટી સંભાવના છે. અમે ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરીશું.
તેમણે કહ્યું કે ભારતમાં આત્મનિર્ભરતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને કોર્પોરેટ ક્ષેત્રે નવા સ્વતંત્રતા આંદોલન તરીકે અપનાવી છે, અને તમામ મુખ્ય ઔદ્યોગિક સમૂહો આ દિશામાં કામ કરી રહ્યા છે.
IIT ધનબાદના સેન્ચ્યુરી સેલિબ્રેશનમાં પહોંચ્યા અદાણી
IIT ધનબાદના સેન્ચ્યુરી સેલિબ્રેશનમાં ભાગ લેવા પહોંચેલા અદાણીએ જણાવ્યું કે આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, એનર્જી ટ્રાન્ઝિશન અને પોર્ટ્સમાં થશે. અદાણી ગ્રુપ ગુજરાતના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યું છે જે 520 ચોરસ કિમીમાં ફેલાયેલો છે.
2030 સુધીમાં આ પ્લાન્ટ 30 GW ગ્રીન એનર્જી આપશે, જે 6 કરોડ ઘરોને આખું વર્ષ પાવર આપી શકે છે. દેશમાં માઇનિંગ અને મટિરિયલ્સમાં પણ વિસ્તરણ કરવામાં આવશે. મેટલથી એલોય અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ સુધી બનાવવામાં આવશે.