અદાણી ગ્રુપ ભારતમાં ₹10-12 લાખ કરોડ રોકાણ કરશે

અદાણી ગ્રુપ ભારતમાં ₹10-12 લાખ કરોડ રોકાણ કરશે

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે આગામી 6 વર્ષમાં તેઓ ભારતમાં ₹10 થી 12 લાખ કરોડ સુધીનું રોકાણ કરશે. આ પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યુએબલ એનર્જી, પોર્ટ્સ અને અન્ય સેક્ટરમાં ખર્ચ કરવામાં આવશે.

અદાણીએ PTIને જણાવ્યું કે દેશમાં રોકાણની ખૂબ મોટી સંભાવના છે. અમે ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરીશું.

તેમણે કહ્યું કે ભારતમાં આત્મનિર્ભરતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને કોર્પોરેટ ક્ષેત્રે નવા સ્વતંત્રતા આંદોલન તરીકે અપનાવી છે, અને તમામ મુખ્ય ઔદ્યોગિક સમૂહો આ દિશામાં કામ કરી રહ્યા છે.

IIT ધનબાદના સેન્ચ્યુરી સેલિબ્રેશનમાં પહોંચ્યા અદાણી

IIT ધનબાદના સેન્ચ્યુરી સેલિબ્રેશનમાં ભાગ લેવા પહોંચેલા અદાણીએ જણાવ્યું કે આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, એનર્જી ટ્રાન્ઝિશન અને પોર્ટ્સમાં થશે. અદાણી ગ્રુપ ગુજરાતના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યું છે જે 520 ચોરસ કિમીમાં ફેલાયેલો છે.

2030 સુધીમાં આ પ્લાન્ટ 30 GW ગ્રીન એનર્જી આપશે, જે 6 કરોડ ઘરોને આખું વર્ષ પાવર આપી શકે છે. દેશમાં માઇનિંગ અને મટિરિયલ્સમાં પણ વિસ્તરણ કરવામાં આવશે. મેટલથી એલોય અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ સુધી બનાવવામાં આવશે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow