મસ્જિદ માર્કેટમાં હિંદુને જીવતો સળગાવ્યો

મસ્જિદ માર્કેટમાં હિંદુને જીવતો સળગાવ્યો

બાંગ્લાદેશના નરસિંદી જિલ્લામાં વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવીને હત્યાનો મામલો સામે આવ્યો છે. 23 વર્ષીય ચંચલ ચંદ્ર ભૌમિકનો સળગેલો મૃતદેહ શુક્રવારે રાત્રે એક દુકાનમાંથી મળ્યો હતો. પરિવારે તેને સુનિયોજિત હત્યા ગણાવી છે.

આ ઘટના નરસિંદી શહેરના પોલીસ લાઈન્સ નજીક આવેલા મસ્જિદ માર્કેટ વિસ્તારમાં બની હતી. ચંચલ જે ગેરેજમાં કામ કરતો હતો, તેની અંદરથી જ તેનો મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

સ્થાનિક લોકોના મતે, ઘટના સમયે ચંચલ ગેરેજની અંદર સૂતો હતો. રાત્રિના સમયે કોઈએ બહારથી દુકાનમાં પેટ્રોલ છાંટ્યું અને આગ લગાવી દીધી. આગ ઝડપથી અંદર ફેલાઈ ગઈ.

આ પહેલા 18 ડિસેમ્બર 2025 ના રોજ મયમનસિંહ જિલ્લામાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને ભીડે મારી-મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. તેના મૃતદેહને ઝાડ પર લટકાવીને આગ લગાડી દેવામાં આવી હતી. છેલ્લા 40 દિવસમાં 10 હિન્દુઓની હત્યા થઈ છે.

નજરેજોનારે કહ્યું- ચંચલ ઘણી વાર સુધી તડપતો રહ્યો

ચંચલ થાકીને દુકાનમાં સૂઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજ મુજબ, અજાણ્યા હુમલાખોરોએ બહારથી પેટ્રોલ નાખ્યું અને પછી આગ લગાવી દીધી. આગ ઝડપથી ફેલાઈ. ચંચલ લોક શટરને કારણે ફસાઈ ગયો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ચંચલ આગમાં ફસાયેલો રહ્યો અને ઘણી વાર સુધી તડપતો રહ્યો. તે મદદ માટે ચીસો પાડી રહ્યો હતો, પરંતુ બહારથી શટર લોક હતું. તેને બહાર નીકળવાનો રસ્તો ન મળ્યો. લોકોએ આ ઘટનાને હૃદય કંપાવી દેનારી ગણાવી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow