વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધા માટે પાલિકાઓને સરળતાથી જમીન ફાળવવા માટે નિર્ણય કરાયો છે. અત્યાર સુધી જંત્રીના 25 થી 50 ટકા રૂપિયા ભરવા પડતા જે હવે એકપણ રૂપિયો ભર્યા વગર મળશે.

નગરપાલિકાઓના વિકાસ કામ માટે મહત્વનો નિર્ણય શહેરી વિસ્તારોમાં વહીવટી સંચાલન વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નગરપાલિકાઓને વિકાસના કામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સરળતાએ જમીન ફાળવવા માટે નિર્ણય કરાયો છે

એકપણ રૂપિયો ભર્યા વગર જમીનની ફાળવણી કરાશે નગરસેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી, ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ, કન્વેશન સેન્ટર જેવી સગવડો માટે સરકારી જમીન નગરપાલિકાઓને આપવામાં આવશે. રાજ્યની નગરપાલિકાઓને વિકાસના કામો માટે જે પહેલા જમીન આપતા હતા તેમાં જંત્રીના દરે 25 થી 50 % રૂપિયા ભરવા પડતા હતા, હવે એક પણ રૂપિયો ભર્યા વગર આ જમીન સરળતાથી નગરપાલિકાઓને મળી રહેશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow