ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 2019માં પિતા સાથે પોસ્ટ ઓફિસ ગઇ હતી. ત્યારે દેવરાજનો ભેટો થયો હતો. વાતચીતમાં તે ઉદયપુરમાં એસીબી ક્રાઇમબ્રાંચમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. જેથી તેને પોતાની તમામ વિગતો જણાવી હતી ત્યારે દેવરાજે તેની અન્ડરમાં રાઇટર તરીકેનું જોબવર્કની નોકરી છેની વાત કરી મોબાઇલ નંબરની આપલે કરી હતી. જોબવર્કની હા પાડી હતી.

પરંતુ તે કામમાં સારું વળતર નહિ મળતા નોકરીની ના પાડી હતી. ત્યારે દેવરાજે ઉદયપુરમાં પોતાના રાઇટર તરીકે નોકરીની વાત કરી હતી. અન્ય યુવતીઓ પણ નોકરી કરતી હોવાનું કહ્યું હતુ. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી દેવરાજને હા પાડી હતી. ત્યાર બાદ દેવરાજે પોતાને આર વર્લ્ડ સિનેમા પાસે આવેલા કપલ બોકસમાં મળવા બોલાવી નોકરીની લાલચ આપી પહેલી વખત દુષ્કર્મ આચર્યુ હતુ. 2020ના જાન્યુઆરી મહિનામાં દેવરાજ ઉદયપુર લઇ જઇ ત્યાંની કોર્ટમાં પોતાના અભ્યાસ સહિતના દસ્તાવેજો મેળવી ફોર્મ ભરાવડાવી સહીઓ કરાવી હતી.

દેવરાજે ઉદયપુરમાં પણ પોતાની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. અહિં દેવરાજે કોઇને વાત નહિ કરવાનું કહી ધમકી આપી હતી. દેવરાજની દાનતથી પોતે રાજકોટ આવી ગઇ હતી. રાજકોટમાં પણ તેને નોકરીની લાલચ બતાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. દેવરાજ નોકરીની ખોટી વાતો કરતો હોવાની ખબર પડી જતા તેને મળવાની ના પાડી દીધી હતી. જેથી તેને પોતાને અને પિતાને જેલમાં પુરાવી દેવાની ધમકી દીધી હતી. બ્લેકમેઇલ કરી અવારનવાર દેવરાજ દુષ્કર્મ આચરતો હોય અંતે કંટાળીને પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી દેવરાજ હાલ જેલહવાલે હોય પીઆઇ એમ.આર. ગોંડલિયા સહિતના સ્ટાફે આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે.

Read more

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં ગણેશ ઉત્સવનું પાંચ દિવસનું ભવ્ય આયોજન થયા બાદ આજે, સોમવારે શહેરની 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું છે. સવા 3 કિમી લાંબી આ વિસર્જન યાત્રા

By Gujaratnow
જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે મહેલની થીમ સાથે સૌરાષ્ટ્

By Gujaratnow
રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર હવે દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેશે. સોમવારે સાંજે 6 વાગ્યે, તેમણે રાજીનામા

By Gujaratnow
સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

1 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવ તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે સોનુ

By Gujaratnow